Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

ગૌતમ બુદ્ધ

Join Us On
Telegram

ગૌતમ બુદ્ધ







*. બૌદ્ધ ધર્મનાં સ્થાપક ગૌતમ બુદ્ધ

*. જન્મ: 

ઇ.સ પૂર્વે 563માં ઉ.બિહારનાં કપિલવસ્તુમાં નેપાળની તળેટીનાં લુબ્મિનીનામે વનમાં થયો.

*. તેમનો જન્મ વૈશાખ પૂર્ણિમાનાં દિવસે થયો.

*. પિતા: 

શુધ્દ્દોધન-શાક્ય જાતિનાં વડા હતાં.

*. માતા: 

મહામાયાદેવી -જન્મ પછી થોડાજ દિવસમાં અવસાન

*. પાલક માતા: 

મહા પ્રજાપતિ ગૌતમી તેમનીપાલક માતા હતા,તેથી માતાના નામ પરથી તેમનું નામ " ગૌતમ " પડ્યું.

*. મુળ નામ: 

સિદ્ધાર્થ(ગૌતમ ગોત્રનાં હોવાથી ગૌતમ)

*. શાક્યજાતિનાં હોવાથી " શાક્યસિંહ "કે " શાક્યમૂનિ "તરિકે પણ ઓળખાતાં.

*. બૌધિ(જ્ઞાન) પ્રાપ્ત થતાં " બૌદ્ધ " કહેવાયા.

*. લગ્ન: 

સિધ્દ્દાર્થના લગ્ન " યશોધરા " સાથે થયાં.જેનાંથી એક પુત્રનો જન્મ થયો.જેનું નામ " રાહુલ " રાખવામાં આવ્યું.

*. ગૃહત્યાગ: 

29 વર્ષની વયે ગૃહત્યાગ કર્યો.ગૃહત્યાગનાં પ્રસંગને" મહાભિનિષ્કમણ "કહેવામાં આવે છે.

*. આશરે 7 વર્ષ સુધી ભ્રમણ કર્યા પછી-બોધીગયામાં પિપળાનાં વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત થયું.જે વૃક્ષને " બૌદ્ધિ વૃક્ષ " તરિકે ઓળખવામાં આવે છે.

*. ઉપદેશ: 

બુદ્ધે પ્રથમ ઉપદેશ " ઋષિપતન "(સારનાથ)માં આપ્યો. તેમનો પ્રથમ ઉપદેશ" ધર્મચક્ર પ્રવર્તન "તરિકે ઓળખાય છે.45 વર્ષ સુધી ધર્મ ઉપદેશનું કાર્ય કર્યુ.તેમનાં ઉપદેશ વચનો બૌદ્ધ ધર્મનાં ધર્મનાં ધર્મગ્રંથ" ત્રિપિટક "માં સચવાયાછે.

*. અવસાન: 

80 વર્ષની ઉંમરે " કુશીનારા "માં નિર્વાણ થયું.તેમનુ મૃત્યુ ' બુદ્ધ અતિસાર '(ડાયેરિયા)ની બિમારીથી થયુ.

*ધર્મપરિષદો

*. બુદ્ધનાં અવસાન પછી બૌદ્ધ સાધુઓ વચ્ચે સમાનતા સ્થાપવા તથા મતભેદો નિવારવા ધર્મપરિષદો યોજાય.કુલ ચાર પરિષદો યોજાય.

*પ્રથમ પરિષદ:

*. મગધનાં રાજા અજાતશત્રુનાં સમયમાં રાજગૃહમાં

*. મહાકશ્યપનાં પ્રમુખ પદે.

*. બુદ્ધનાં ઉપદેશોનું સંકલન કરવાંમાં આવ્યું.

*બીજી પરિષદ :

*. મગધનાં રાજા કાલાશોકનાં સમયમાં વૈશાલીમાં

*. સર્વકામિનીનાં અધ્યક્ષ પદે

*. બૌદ્ધ સંઘમાં ઉભી થયેલી અશિસ્ત અંગે કડક પગલાં લેવાયા .

*ત્રીજી પરિષદ:

*. સમ્રાટ અશોકનાં સમયમાં પાટલિપુત્રમાં

*. તિષ્યનાં પ્રમુખ પદે યોજાય.

*. બૌદ્ધ તત્વજ્ઞાન વિશે ચર્ચા

*ચોથી પરિષદ:

*. કનિષ્કનાં સમયમાં કાશ્મિરમાં

*. પ્રમુખ તરિકે વસુમિત્ર અને ઉપપ્રમુખ તરિકે મહાકવિ અશ્વઘોષ

*. આ પરિષદમાં બૌદ્ધ ધર્મનાં બે ભાગ પડ્યા.(1) હિનયાન અને(2) મહાયાન

*. હિનયાન - બૌદ્ધધર્મનાં મુળ સિધ્ધાંતોને માનતો

*. મહાયાન - મૂર્તિપુજા અને મંદિરોમાં માનતો

*બૌદ્ધ સાહિત્ય

*. બૌદ્ધ સાહિત્ય 'પાલી' ભાષામાં લખાયેલું છે.

*. બૌદ્ધ ધર્મનો ધર્મગ્રંથ "ત્રિપિટક" છે, જેનાં ત્રણ વિભાગો છે.-વિનયપિટક,સુત્તપિટક અને અભિધમપિટક

*. વિનયપિટક -

સૌથી પ્રાચિન છે.જેમાં બૌદ્ધ સાધુ-સાધ્વીઓએ પાળવાનાં સદાચાર આપેલા છે.એટલે કે આચારસંહિતા.

*. સુત્તપિટક -

સુત એટલે ઉપદેશ.આ ગ્રંથમાં વ્યાખાનો અને ઉપદેશો છે.

*. અભિધમપિટક - 

બૌદ્ધધર્મનાં સિધ્ધાંતો અંગેચર્ચા છે.




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group