Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

ગિજુભાઈ ભગવાનજી બધેકા (મૂછાળી મા) બાળસાહિત્યકાર

Join Us On
Telegram

c







 ગિજુભાઈ  બધેકા પુણ્ય તિથિ કવિઝ આપવા અહીં ક્લિક કરો


ગિજુભાઈ ભગવાનજી બધેકા (મૂછાળી મા) જીવન પરિચય

બાળસાહિત્યકાર

જન્મ :-

નવેમ્બર 15, 1885 : ચિત્તળ (અમરેલી)

અવસાન :-

૨૩ જૂન,૧૯૩૯, મુંબઈ

પક્ષઘાતથી મુંબઈની હરકીશનદાસ હૉસ્પિટલમાં અવસાન.


ઉપનામ :-

બાળકોની મૂછાળી મા, વિનોદી, બાળકોના બેલી

તેમનું જન્મનું નામ ગિરજાશંકર હતું


કુટુમ્બ :-

માતા – કાશીબા, 

પિતા– ભગવાનજી


અભ્યાસ :-

પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ભાવનગરમાં.૧૯૦૫ –  મૅટ્રિક.

તેમનું બાળપણ બાપ દાદાના મૂળ ગામ વલભીપુરમાં વીત્યું હતું. તેમણે પ્રાથમિક શિક્ષણ પણ વલભીપુરની નિશાળમાં લીધું હતું. ૧૯૦૭માં તેઓ ધંધાર્થે પૂર્વ આફિક્રા અને પછી મુંબઈ ગયા હતા.




વ્યવસાય :-

તેઓ શિક્ષણવિદ્ બન્યા પહેલાં હાઇકોર્ટમાં વકીલ હતા.

૧૯૧૩ થી ૧૯૧૬ – વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર૧૯૧૬ 


૧૯૨૩માં તેમના પુત્રના જન્મ પછી તેમણે બાળઉછેર અને શિક્ષણમાં રસ દાખવવાની શરૂઆત કરી. ૧૯૨૦ના દાયકામાં તેમણે બાલ મંદિરની સ્થાપના કરી હતી.

– કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક

૧૯૧૮ – વિનયમંદિરના આચાર્ય

૧૯૩૬ – દક્ષિણા મૂર્તિ-ભવનમાંથી નિવૃત્ત


 જીવન :-

૧૯૦૭માં આફ્રિકાગમન.

૧૯૦૯માં આફ્રિકાથી પાછા ફરીને ૧૯૧૦માં મુંબઈમાં વકીલાતનો અભ્યાસ. 

૧૯૧૩ થી ૧૯૧૬ સુધી વઢવાણ-કૅમ્પમાં ડિસ્ટ્રીક્ટ હાઈકોર્ટ પ્લીડર. 

૧૯૧૬માં કેળવણી તરફના આકર્ષણથી ભાવનગરના દક્ષિણામૂર્તિ વિદ્યાર્થીભવનમાં શિક્ષક. 

૧૯૧૮માં વિનયમંદિરના આચાર્ય. 

મોન્ટેસોરી પદ્ધતિએ બાળશિક્ષણવિકાસના ભગીરથ પ્રયત્નો.


વિશિષ્ટ કામગીરી :-

શિક્ષણના  વ્યવસાયમાં પડતાં પહેલાં ડિસ્ટ્રીક્ટ હાઇકોર્ટમાં વકીલ

કેળવણીકાર. બાળ-કેળવણીના પ્રણેતા.ગુજરાતમાં બાળ-શિક્ષણનો પાયો નાખ્યો.શિક્ષકો અને વાલીઓને ઉપયોગી પુસ્તકો લખ્યાં.બાળકો માટે લોક-વાર્તાઓને બાળભોગ્ય સ્વરૂપ આપ્યું.સરળ અને સુબોધ શૈલીમાં પુસ્તકો લખ્યાં.

જેમણે ભારતમાં મોન્ટેસરી શિક્ષણની રજૂઆતમાં અગત્યનો ભાગ ભજવ્યો હતો

ગુજરાતમાં બાળસાહિત્ય વિશેની સમજનો અને બાળશિક્ષણની વ્યવસ્થિત પદ્ધતિનો પાયો નાખનાર આ લેખકે બાળકોના રસને પોષે, એમના કુતૂહલને ઉત્તેજે, એમની કલ્પનાને જાગૃત કરે, એમના વ્યક્તિત્વ-ઘડતરનો અંશ બને એવું માહિતીપ્રદ છતાં આનંદપ્રદ સાહિત્ય કવિતા-વાર્તા-નાટક જેવા વિવિધ પ્રકારોમાં   વિપુલપણે પ્રગટાવ્યું છે. જ્ઞાનકોશોને ઝાઝા ખપમાં લીધા વિના આસપાસના જીવનમાંથી મળી આવતી સામગ્રીને સરલ અને આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી બાળસાહિત્યની એક નવી દિશા ઉઘાડી આપી છે. મોન્ટેસોરી સિદ્ધાંતપદ્ધતિએ ઊભી કરેલી બાલમંદિરની પ્રવૃત્તિ પણ એમનાં સર્વ બાળસાહિત્યનાં લખાણોમાં પ્રેરક રહી છે.


સાહિત્ય યોગદાન:-


ગિજુભાઈએ ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યા હતા, જેમાં બાળસાહિત્યનો પણ સમાવેશ થાય છે.

શિક્ષણ - વાર્તાનું શાસ્ત્ર (૧૯૨૫),

 માબાપ થવું આકરૂં છે,

 સ્વતંત્ર બાલશિક્ષણ, 

મોન્ટેસરી પદ્ધતિ (૧૯૨૭), 

અક્ષરજ્ઞાન યોજના, 

બાલ ક્રીડાંગણો, 

આ તે શી માથાફોડ? (૧૯૩૪), 

શિક્ષક હો તો (૧૯૩૫), 

ઘરમાં બાળકે શું કરવું.

બાળસાહિત્ય - ઈસપનાં પાત્રો, 

કિશોર સાહિત્ય (૧-૬), 

બાલ સાહિત્ય માળા (૨૫ ગુચ્છો), 

બાલ સાહિત્ય વાટિકા (૨૮ પુસ્તિકા), 

જંગલ સમ્રાટ ટારઝનની અદ્ભૂત કથાઓ (૧-૧૦), 

બાલ સાહિત્ય માળા (૮૦ પુસ્તકો).

ચિંતન - પ્રાસંગિક મનન (૧૯૩૨), 

શાંત પળોમાં (૧૯૩૪).

દિવાસ્વપ્ન.


છ જેટલાં એમનાં કિશોરસાહિત્યનાં પુસ્તકો જાણીતાં છે.

‘મહાત્માઓનાં ચરિત્રો’ (૧૯૨૩),

 ‘કિશોરકથાઓ’- ભા. ૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯), 

‘રખડુ ટોળી’- ભા. ૧, ૨ (૧૯૨૯, ૧૯૩૩) 



બાળસાહિત્યગુચ્છ’માં 

‘લાલ અને હીરા’, 

‘દાદાજીની તલવાર’,

 ‘ચતુર કરોળિયો’ જેવાં પચીસ જેટલાં પુસ્તકો છે; 


તો ‘બાળસાહિત્યવાટિકા’- મંડળ : ૧ માં અઠ્ઠાવીસ પુસ્તકો અને મંડળ : ૨માં ચૌદ પુસ્તકો છે. 

આ ઉપરાંત ‘ઈસપનાં પાત્રો- ગધેડા’ (૧૯૩૪),

 ‘ઈસપકથા’ (૧૯૩૫),

 ‘આફ્રિકાની સફર’ (૧૯૪૪)

 જેવાં મહત્વનાં કહી શકાય એવાં બીજાં ચોવીસ જેટલાં બાળપુસ્તકો છે.


બાળશિક્ષણને લગતાં

 ‘વાર્તાનું શાસ્ત્ર’ (૧૯૨૫), 

‘મોન્ટેસોરી પદ્ધતિ’ (૧૯૨૭), 

‘આ તે શી માથાફોડ ?’ (૧૯૩૪), 

‘શિક્ષક હો તો’ (૧૯૩૫) 

જેવાં પંદર જેટલાં પુસ્તકો અને 

‘બાળજીવનમાં ડોકિયું’ (૧૯૨૬), 

‘શિક્ષણના વહેમો’ (૧૯૨૬), 

‘તોફાની બાળક’ (૧૯૨૯), 

‘દવાખાને જાય, ચાડિયો’ (૧૯૨૯) 

જેવી તેવીસ જેટલી પુસ્તિકાઓ એમના નામે છે. 


અક્ષરજ્ઞાન યોજના અંતર્ગત 

‘આગળ વાંચો-ચોપડી ૧-૨-૩, 

‘કેમ શીખવવું’ (૧૯૩૫), 

‘ચાલો વાંચીએ’ (૧૯૩૫) 

જેવાં ઉપયોગી પુસ્તકો અને 


‘પેટલાદની વીરાંગનાઓ’ (૧૯૩૧),

 ‘સાંજની મોજો’

 જેવાં સાતેક પ્રકીર્ણ પુસ્તકો પણ એમણે આપ્યાં છે.


‘પ્રાસંગિક મનન’ (૧૯૩૨),

 ‘શાંત પળોમાં’ (૧૯૩૪) 

વગેરે એમનું ચિંતનસાહિત્ય છે.


'મહાત્માનાં ચરિત્રો’,

 'ઇસપની કથાઓ’,

 'બાળસાહિત્ય ગ્રંથમાળા’ તેમ જ

 'વાર્તાનું શાસ્ત્ર’ એમનાં મહત્ત્વનાં પુસ્તકો છે.



સન્માન :-

1928 – બીજા મોન્ટેસરી સમ્મેલનના પ્રમુખ

1930 – બાળસાહિત્ય માટે રણજિતરામ સુવર્ણચંદ્રક


ગિજુભાઈ બધેકા ની વાર્તાઓ વાંચવા વાર્તાના નામ પર ક્લિક કરો.


મુક્ત શિક્ષણના દુનિયાભરના એક મોટા શિક્ષણવિદ એ. એસ. નીલના પુસ્તકનો અનુવાદ કરયો.

મૂળ લેખક

એ. એસ. નીલના નામે જાણીતા Alexander Sutherland Neill (1883–1973) સ્કૉટીશ શિક્ષણવિદ અને નવી આબોહવા જન્માવનાર પ્રયોગશીલ ને કલ્પનાશીલ શિક્ષક હતા. એમણે વિકસાવેલી 'સમરહીલ સ્કૂલ’ 1920-30ના સમયગાળાની મુક્ત બાળ-વિકાસ માટેની એક ક્રાંતિકારી શાળા હતી. નીલે Problem Triology (Problem Child, Problem Parents, Problem Teachers), The Free Child, એવાં 20 ઉપરાંત પુસ્તકો લખ્યાં છે. એમનાં બધાં પુસ્તકોમાંથી ચૂંટેલાં લખાણોનું પુસ્તક Summerhill(1960) 1960-70ના દાયકાની Free School Movementનો આધારસ્તંભ બનેલું બેસ્ટ સેલર પુસ્તક છે.
'રખડુ ટોળી’ નીલના The dominees’s Five પુસ્તકનો અનુવાદ છે.



Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

0 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group