Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ

Join Us On
Telegram

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ 



મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી 



 મહારાજા કૃષ્ણકુમારસિંહજી પ્રજામાં અપાર લોકચાહના ધરાવતા હતા . તેઓના નામની આગળ માત્ર મહારાજા કે રાજવી નહીં પરંતુ પ્રાતઃ સ્મરણીય એવું બિરૂદ લગાડવામાં આવે છે. 

તેઓ ભાવનગરના 9 માં મહારાજા હતા . 


કૃષણકુમારસિંહજીનો જન્મ 19 મે 1912 ના રોજ ભાવનગરમાં થયો હતો . તેઓ મહારાજા ભાવસિંહજી ( બીજા ) ના જ્યેષ્ઠ(મોટા) પુત્ર અને તેમની ગાદીના વારસ હતા .તેમની માતાનું નામ નંદકુવરબા હતું. ઈ.સ. ૧૯૩૧ ગોંડલના યુવરાજ ભોજરાજનાં પુત્રી વિજયાબા સાથે લગ્ન થયા હતા. કૃષ્ણકુમારસિંહજીને બે પુત્રો અને ત્રણ પુત્રીઓ મળીને પાંચ સંતાનો હતા . 

 કૃષ્ણકુમારસિંહજીએ તેમના પિતાના અવસાન બાદ ઈ.સ.૧૯૧૯ માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત 7 વર્ષની હતી , પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧ માં રાજ્યની ગાદી સંભાળી હતી . 


કુશળ રાજનીતિજ્ઞ , અભ્યાસી અને દૂરંદેશી ધરાવનાર પ્રભાશંકર પટ્ટણી દ્વારા તેમનું ઘડતર થયું તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ઇ.સ.૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી . પ્રામાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે "મારી પ્રજાનું કલ્યાણ થાઓ " સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા , ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારો કર્યો હતો . 



બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ , જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા . 



રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા . ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ , ફૂટબોલ , નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો .


કુષ્ણકુમારસિંહએ પોતાના પિતા અને દાદા દ્વારા શરુ કરાયેલા સુધારાના કામો જેવા કે રાજ્યમાં વેરા વસૂલાતની પદ્ધતિમાં સુધારા , ગામ પંચાયતોની અને ભાવનગર રાજ્યની “ ધારાસભા " ની રચના વગેરે આગળ ધપાધ્યા.


પ્રગતિમય શાસનને લીધે એમને ઈ.સ. ૧૯૩૮ ના વર્ષમાં કે.સી.એસ.આઈ.ના ઈલકાબથી નવાજવામાં આવ્યા હતા .છતા તેઓ હમેશા " ભારતની સ્વતંત્રતા " માટે કટીબદ્ધ રહયા હતા અને એટલે જ ભારત સ્વતંત્ર થતાની સાથે ભારતીય ગણતંત્રના કાઠિયાવાડ રાજ્ય સાથે પોતાનું રાજ્ય ભેળવી દેનારા પ્રથમ રાજવી હતા 


ઇ.સ. ૧૯૪૮ માં કૃષ્ણકુમારસિંહ મદ્રાસના પ્રથમ ભારતીય રાજ્યપાલ બનવાનું બહુમાન મેળવ્યું . એજ વર્ષે એમને રોયલ ભારતિય નૌકાદળના માનદ્ કમાન્ડર પણ બનાવાયા . ભાવનગરમાં આવેલા નંદકુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયના પ્રમુખ તરીકૅ અને યુનાઇટેડ સર્વિસીઝ ઈંસ્ટિટ્યુટ ઑફ ઈન્ડિયાના વાઈસ - પેટ્રન તરીકે પણ કાર્ય કર્યું . 



૨ એપ્રિલ ૧૯૬૫ ના દિવસે હદયરોગના હુમલાથી 52 વર્ષની ઊંમરે અને 46 વર્ષના શાસનકાળ પછી ભાવનગરમાં જ અવસાન થયું . 



તેમના બહુમાન રૂપે ભાવનગર યુનિવર્સિટી હવે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી તરીકે ઓળખાય છે. મહારાજા કૃષ્ણકુમારે પોતાના લગ્ન પ્રસંગે બંધાયેલા વિશાળ અને ભવ્ય મંડપને ' ટાઉન હોલ ' તરીકે જાહેર કરીને પ્રજાના ઉપયોગ માટે ભાવનગરની પ્રજાને ભેટ આપી દીધો હતો .



ભાવનગરનું ગૌરીશંકર તળાવ એટલે કે બોરતળાવને મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને સમગ્ર રાજવી પરિવારની અનમોલ ભેટ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે . ભાવનગરના રાજવી પરિવારે કોઈપણ નદી કે નાળા પર આધારીત નહીં પરંતુ માળનાથના ડુંગરામાંથી ભીકડા કેનાલ દ્વારા વરસાદી પાણી લાવીને ઉભું કરેલું આ ગૌરીશંકર તળાવ તેની આ બાબત માટે તો અજોડ છે જ સાથે ભાવનગર માટે ગૌરવરૂપ પણ છે . મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દીર્ઘદૃષ્ટિનો ઉમદા નમૂનો ગણવામાં આવે છે.


 સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું . તેઓએ ૧૫ મી જાન્યુઆરી , ૧૯૪૮ ના રોજ પોતાની સઘળી સંપત્તિ સાથે 1700 પાદર ધરાવતા ભાવનગરના રજવાડાને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ચરણે ધરી દઈ પ્રથમ પુનિત આહુતિ આપી . આઝાદી બાદ ઈ.સ. ૧૯૪૮ માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી નવા અસ્તિત્વમાં આવેલા મદ્રાસ રાજ્યના ગવર્નર તરીકે નિમાયા ત્યારે માસિક એક રૂપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી પ્રજાસેવાનો અને ત્યાગનો ઉત્તમ દાખલો બેસાડયો .


 


બ્રાઝિલ દેશમાં મોટી જાગીર અને વિશાળ ફાર્મ ધરાવતા સેલસો ગ્રાસિયા નામના ધનિક પશુપાલક સીડ પશુની ઓલાદ સુધારવા માટે કૃષ્ણકુમારસિંહજી પાસેથી ગીરની જાતવંત બે ગાયો અને વધારામાં એક ધણખૂટ આ ત્રણેય પશુઓને લઈ પોતાના દેશ બ્રાઝિલમાં ગયા . ગીર ગાયની ઓલાદ એટલી બધી માફક આવી ગઈ કે , ક્રમે ક્રમે ગીરની ગાયો બ્રાઝિલના પશુ પ્રદર્શનમાં ઈનામો મેળવતી થઈ , આખા બ્રાઝિલ દેશમાં ભાવનગર અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીનું નામ ગૂંજવા લાગ્યું.

 ' ભાવનગર ' નામે એક વસાહત , કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા અને ગીર ગાયની સ્મૃતિમાં ચલણી સિક્કાઓ બહાર પાડયા . 



તેમને 8 ખિતાબો અને  7 સન્માન મળેલા છે.



યાદગાર પ્રસંગો 


પ્ર -1 મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ  રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કરતા એ સમયમાં રાજકોટ આજી ડેમનું બાંધકામ ચાલતું હતું કુંવરને કોઈ એ આવીને કહ્યું બાપુ આજી ડેમ બનાવવા લોકફાળો કરવામાં આવી રહ્યો છે તમારે એમા કંઇ મદદ કરવી હોય તો .  બાપુ એ એક ચિઠ્ઠી ભાવનગર મહારાજા સાહેબ ને ઉદેશીને લખી આપી અને લખ્યું કે બાપુ ને માલુમ થાય કે રાજકોટ ની પ્રજાના પીવા ના પાણી માટે આજીડેમનું બાંધકામ થઈ રહ્યું છે તો મેં એમાં 10 હજાર રૂપિયા લખાવેલ છે તો બાપુ આપ એ મોકલી આપશો ત્યારે મહારાણા ( ભાવસિંહજી એ જવાબ આપતાં કહ્યુ કે કુંવરને માલુમ થાય કે તમે મને પૂછયા વગર અને જે મારી ભાવનગરની પ્રજાને એ પાણી નો કોઈ ફાયદો ન હોય અને ભાવનગરની પ્રજાના પૈસા હું એમ તમને ન મોકલી શકુ જૈથી એની વ્યવસ્થા તમે કરી લેજો ત્યારે કુંવર એ પત્ર મળ્યા પછી કૃષણકુમારસિંહજી બાપુ એ પોતાના પૈસા આપ્યા હતા , આને જ કેવાય ને પ્રજા પ્રેમ.  


પ્રસંગ -2 


ભાવનગરનું રાજ અખંડ ભારતના નિર્માણ માટે સોંપી દેવાનું હતું . સરદાર પટેલ સાથે બધા દસ્તાવેજી કરાર થઈ ચુક્યા હતા , એ વખતે ગોહિલવાડના છેલ્લા ધણી મહારાજા કૃષ્ણકુમારસિંહજી રાણીવાસમાં ગયા , મહારાણી વિજયાકુવર બાને જઈને કહ્યું કે , “ મહારાણી ભાવનગર હવે સોંપી દેવાનું છે , હું તમને એ પૂછવા આવ્યો છે કે , રાજ્ય તો હું સોંપી દઈશ પણ તમારા કિંમતી ઘરેણાં - દાગીના ઉપર તો તમારો જ હક્ક થાય . એટલે તમને પૂછું છું કે , એ દાગીનાનું શું કરવાનું છે ? " તે દિવસે મહારાજા ભાવસિંહજીની પૌત્રી અને ગોહિલવાડની મહારાણીએ જવાબમાં એક જ વાક્ય કઢેલું , " મહારાજ ! જ્યારે આખેઆખો હાથી જતો હોય ને ... ત્યારે એનો શણગાર ઉતારી ને બેસાય!


પ્રસંગ -૩


 ભાવનગરના પ્રજાપાલક રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહ ગોહિલ બાગમાં બેઠા છે.સામૈ બીજા રાજપુરષો પણ બિરાજમાન છે , વાતો ચાલે છે , તેઓ જે બગીચામાં બેઠા હતા એની પાસે જ બાગની હદ પૂર્ણ થતી હતી.દિવાલ હતી . દિવાલની પેલી બાજુ નગરનો જાહેરમાર્ગ હતો.વાત જાણે એમ છે કે , દિવાલને અડીન બાગની અંદરના ખાગમાં એક બોરડી ઉભી હતી . જોરાવર બોરડી ! મીઠા મધ જેવા , જોની લાળ ટપકી પડે એવા , ફણગાવેલા ચણાના ઠવા જેવા પાકાં બોર ઝુમતાં હતાં.બોરડી પ્રમાણમાં એક વૃક્ષ બની ગયેલી એટણે હાથેથી તો ધીર આબવા અશક્ય હતાં થોડીવાર થઇ હશે ને અચાનક સણણ ઝુમમ.... કરતો એક પથ્થર આવ્યો.આવીને સીધો કૃષ્ણકુમારસિંહજી ગોહિલના કપાળ સાથે અથડાયો , બહાર રસ્તા પર જતાં આ આદમીએ શાહીબાગની દિવાલ પરથી ઝળુંબતી બોરડીને જોઇ , એની શોભા વધારતા અને જીભને ભીંજવી નાખતા રસીલા બોર લટકતાં જોયા . અત્યારે તો કોણ જોતું હોય વળી ! અને એણે ચૂપકીદીથી એક પથ્થર ઉપાડીને બોરડી તરફ ઘા કર્યો , એને ખબર નહોતી કે બાગમાં પાસે જ ભાવનગરનો ધણી બેઠો છે અને પથ્થરો જઇને એના કપાળમાં વાગ્યો છે . સિપાઇઓ મહારાજા સામે લઇ ગયાં અને રાજવીના કપાળે ઘા જોયો એટલે એને ફટ દેતાંકને ખ્યાલ આવી ગયો કે હવે એનું આયખું ખતરામાં છે . “ કોણે , તે ઘા માર્યો છે ? " " હા , બાપુ'મારાથી ભૂલ થઇ ગઇ ! ” “ કેમ પથ્થર ફેંક્યો હતો , ભાઇ ? " બાપુ ! રસ્ટે હાલ્યો જતો'તો ને આ ઝળુંબતી બોરડી જોઇ તો થયું કે લાવ કોઇ જોતું નથી ત્યાં ઘા મારુને એકાદ - બે બોર પડે તો પેટમાં નાખું.પાછી ભૂખ પણ બઉ લાગી'તી , બાપુ. પણ હવે કોઇ દિ ’ આમ નહી થાય , બાપુ " એ થથરતો હતો . કૃષ્ણકુમારસિંહએ પેલાં માણસ સામે જોઇને સ્મિત કર્યું . અને એ જ ક્ષણે પોતાના ગળામાં રહેલો હાર કાઢીને એને આપી દીધી . “ લે ભાઇ ! એક બોરડીને પથ્થર મારવાથી એ જો મીઠા બોર આપતી હોય તો હું તો રાજા છું મને પથ્થર માર્યો તો હું આટલું ના આપું તો તો ગોહિલવાડની ધરા લાજે ! " 


પ્રસંગ -4 


ભારત આઝાદ થયું હતું અને રજવાડાઓનું વિલિનીકરણ કરવાની યોજના બની હતી અને સરદાર પટેલ જયારે સહી માટે ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહે પાસે આવે છે ત્યારે મહારાજા સરદારને કહે છે કે “ વલ્લભભાઈ આ ભાવનગર રાજ્ય અને સંપતિ હુ પ્રજાના , કલ્યાણ માટે ભારત સરકાર ને સોંપુ છુ એમ કહીને તેમણે 1700 પાદર ભારત સરકારને સોપ્યા . સમય જતાં તેમને મદ્રાસ રાજ્યના ગવર્નર બનાવવામાં આવ્યા તેમછતાં ગામની પ્રજા તો હજી તેમને જ મહારાજા માનતી હતી , ઘટના જાણે એમ બની કે , એક ખેડૂતના બે બળદ ચોરાઇ ગયા . ખેડૂતને હજુ એમ જ હતું કે રાજ તો કૃષણકુમારનું જ છે . એટલે એ ખેડૂત ફરિયાદ કરવા ભાવનગર નીલમબાગ પેલેસમાં આવ્યો , ત્યાં તેને જાણવા મળ્યું કે કૃષ્ણકુમારસિંહજી તો મદ્રાસ રાજના ગવર્નર છે. અંતે  તે આશા સાથે તે અભણ ખેડૂ મદ્રાસ પહોંચ્યો અને કૃષ્ણકુમારસિંહને પોતાની વ્યથા સંભળવીને કહ્યું રાજા , આ બળદના ચોર સામે તમે પગલા લો.

 કૃષ્ણકુમારસિંહજીએ તેને કહ્યું કે , હું હવે ભાવનગરનો ધણી નથી રહ્યો હું મદ્રાસનો ગવર્નર છું પરંતુ તારી ઓ રાજવી પ્રત્યેની ભાવના છે તે જાણીને હું ગદગદ થયો છું. લે આ 5 હજાર રૂપિયા તું નવા બળદ ખરીદી લે જે . 


પ્રસં -5 


આ પ્રજાલક્ષી રાજવી 2 એપ્રિલ , 1965 ના રોજ હદયરોગના હુમલાથી અવસાન પામ્યા. તેમના અવસાનના સમાચાર વાયુવેગે ભાવનગરમાં પ્રસરી ગયા અને આ મહારાજાના માનમાં આખુય ભાવનગર સ્વયંભૂ , જડબેસલાક બંધ હતું . લોકોએ ઘરે ચૂલા નહોતા સળગાવ્યા અને આખુંય ભાવનગર શેરીઓમાં ઉમટી પડેલું . 


 પ્રસંગ -6 


એક હતા વફાદાર ચોકીદાર ! અઢાર સો પાદરના ધણી ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એક વખત નગરચર્ચામાં નીકળે છે . તે વખતે તેમને “ અન્નદાતા - જય માતાજી “ એવા શબ્દો કાનમાં અથડાયાં . મહારાજા પાછું ફરી જુવે તો સામે જેની આંખમાં ખુમારી છે તેવો બકરીઓ ચરાવતો એક ગરીબ યુવાન પોતાના મહારાજાને આદરથી પ્રણામ કરીને ઉભો હતો ,


 " શું નામ છે તારું ? ” રાજાએ પુછયું . " 

મુબારક , અન્નદાતા યુવાને અજવાબ આપ્યો . 


ફરી મહારાજાએ પૂછયું કે ભાવનગર માટે કામ કરીશ ? " જરૂર મહારાજ કેમ નહી ! ” 


તેમને નિલમબાગ પેલેસમાં ચોકીદારની નોકરી આપવામાં આવી . ધીરે ધીરે તેમની ઈમાનદારી જોઇને તેમને નિલમબાગ પેલેસના રાજખજાનાની ચાવીઓની જવાબદારી સોંપવામાં આવી . રાજખજાનામા મહારાણીના મોંઘા ઘરેણાં પણ હતા. મહારાણીને જયારે પ્રસંગોપાત ઘરેણાં જોઈતા હોય ત્યારે મુબારક ચાવીઓ આપે એટલે મહારાણી તેમાંથી જોઈતા ઘરેણાં લઇ લે અને પછી ફરીથી એક પટારામાં ઘરેણાં મૂકીને ચાવીઓ મુબારકને સોંપી દે , આ નિત્યક્રમ હતો.આજ ઘરેણાંઓમાં મહારાણીને સૌથી પ્રિય એવો હીરાજડિત હાર પણ રહેલો હતો . 


એક વખત એવું બન્યું કે પટારામાં એ હાર જોવા ના મળ્યો , મહારાણીએ ખુબ શોધ્યો પણ હાર મળે જ નહિ , મહારાણીને મુબારક પર અપાર ભરોસો હતો તેમ છતાંય નાનો માણસ છે ભૂલ નહિ કરી હોય ને એવા વિચારોથી બેચેન રહેવા લાગ્યાં . થોડા સમય પછી મહારાણીની બેચેની ભાવનગર મહારાજથી છુપી ના રહી . કારણ પુછવામાં આવ્યું ત્યારે રાજહઠ સામે મહારાણીએ હાર અંગે આખી વાત કરી . ભાવનગર મહારાજાએ તરત જ આદેશ કર્યો કે મુબારકને રાજદરબારમાં હાજર કરો . નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો મુબારક જયારે ભાવનગર ઠાકોર સાહેબ સમક્ષ હાજર થયો ત્યારે હાર અંગે પ્રેમથી મુબારકને પૂછવામાં આવ્યું ત્યારે મુબારકએ આ અંગે સાવ અજાણ હોવાનું જણાવ્યું , ભાવનગર મહારાજાએ પણ મુબારકને કોઈ ઠપકો આપ્યા વગર જવા દીધો , પરંતુ મુબારક હારની ચોરીના લાગેલા આણ  થી બૅચેન બની ગયો. સીધો જ ઘરે ગયો અને નમાજનો રૂમોલ પાથરી આકાશ તરફ મીટ માંડીને અલ્લાવાલાને એક જ અરજ કરી કે " જો મેં ઈમાનદારીપૂર્વક નોકરી કરી હોય અને ક્યારેય હું ઈમાન ચુક્યો ના હોય તો કા તો ચોરીના આ આણમાંથી મુક્ત કરાવજો ને કા તો મને મારા શરીરથી જીવને " બસ આટલો જ અંતરનો પોકાર કરીને ઘરના એક ખૂણામાં બેસીને પ્રાર્થના કરવા લાગ્યો અને અન્ન જળનો ત્યાગ કરી દીધો 



કુદરતનો પણ એક સર્વસ્વીકૃત નિયમ છે , ' સત્યની કસોટી થાય પણ છેવટે જીતતો સત્યની જ થાય " એજ રાત્રે અચાનક મહારાણીને ગાઢ નિંદ્રામાંથી અચાનક જ એકાએક બેઠા થઇ ગયા ને યાદ આવી ગયું કે ઉતાવળમાં હાર પટારામાં મુક્યો જ નહોતો પણ અરીસા પાસે રાખી દીધો હતોં . તરત જ તપાસ કરતા હાર મળી આવ્યો. 


રાત્રે જ ભાવનગર મહારાજને હાર મળી ગયાની જાણ કરવામાં આવી . બંનેને ખુબ પસ્તાવો થયો કે " મુબારક પર ખોટી શંકા કરી એક નેક ઈન્સાનનો આત્મા દુભાવ્યો ‘ સવારે મુબારકને નિલમબાગ પેલેસના રાજદરબારમાં બોલાવવામાં આવ્યો અને હાર મળી ગયાની જાણ કરી અને આત્મા દુભાયો હોય તો માફી માગી . હાર મળી ગયો છે એ વાતની ખબર પડતાં જ મુબારકમા જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ " આકાશ ભણી મીટ માંડીને સજળ નયને એટલું જ બોલ્યો કે “ હે પરવર દિગાર તે આજ મારી ઇજ્જત બચાવી લીધી ’ બસ આટલું કહીને મુબારકે રાજખજાનાની ચાવીઓ ભાવનગર મહારાજાને સોંપી દીધી , ભાવનગર મહારાજાએ ખુબ આગ્રહ કર્યો ત્યારે માંડ મુબારક ફરીથી " ચોકીદાર " તરીકે નોકરીએ રહેવા સહમત થયોં. વર્ષો સુધી મબારક નિલમબાગ પેલેસની ચોકીદારી કરતો હતો . મુબારકની ઈમાનદારી વફાદારી અને કર્તવ્ય નિષ્ઠા પર કોઈ  શક ન કરી શકે એવી છાપ અને ઘાક મુબારકની ભાવનગર રાજમાં વર્તાતી.


વર્ષો બાદ ઍક દિવસ ભાવનગર મહારાજને સમાચાર મળ્યા કે " નિલમબાગ પેલેસનો ચોકીદાર " મુબારક " આજ અલ્લાહને પ્યારો થઇ ગયો છે , મહારાજાને પણ આંખે આંસુ આવી ગયા . પોતાના સેવકોને આદેશ કર્યો કે " મુબારક " નો જનાજો નીકળે ત્યારે મને જાણ કરજો મારે મારા મુબારકને અંતિમ વિદાય અને કાંધ આપવા જવું છે ,


 મુબારકના મૃત્યુને કલાકો વીતવા છતા મુબારકના જનાજાના સમાચાર ના મળતા ભાવનગર મહારાજાએ તપાસ કરાવવી માણસોને મોકલ્યો ત્યારે ખબર પડી કે મુબારકને જનાજામાં ઓઢાડવાનું કફન ખરીદવાના પણ મુલાકના પરિવાર પાસે પૈસા નથી . ભાવનગર મહારાજા આટલું સાંભળતા જ ચોધાર આંસુએ રડી પડ્યા કે " નિલમબાગ પેલેસના રાજ ખજાનાની ચાવીઓ " જેને હસ્તક રહેતી એવા મારા મુબારકની આવી હાલત ? તરત જ ભાવનગર મહારાજાએ હુકમ કર્યો કે ભાવનગર રાજને શોભે એ રીતે મુબારકની અંતિમવિધિ કરવામાં આવે અને મુબારકના પરિવારને તમામ મદદ કરવામાં આવૈ " અને મુબારકની આવી હાલત કેમ થઇ એની તપાસ કરતા માલુમ પડ્યું કે મુબારકને જે પગાર મળતો તે જરૂરિયાતમંદને મદદ કરવામાં ખર્ચી નાખતો . 



નીલમબાગના ચોકીદાર ‘ મુબારક " નો જનાજો નીકળ્યો ત્યારે ભાવનગરના મહારાજાએ એક ઈચ્છા વ્યક્ત કરીને એ ઈચ્છા પુરી પણ કરી કે " મારા મુબારકને તમે જરૂર કાંધ દેજો પણ એક કાંધ તો હું શરૂઆતથી અંત સુધી હું જ આપીશ " ભાવનગર મહારાજ મુબારકના ઘરથી કબ્રસ્તાન સુધી ઉઘાડા પગે ચાલ્યા હતા અને કાંધ દીધી હતી . આજે પણ ભાવનગરના મુસ્લિમ કબ્રસ્તાનમાં " મુબારક " ની કબર છે અને ભાવનગરના મહારાજાએ મુબારકની કબર પર કબરનું નામ કોતરાવ્યું છે " ધ લોક ઓફ નિલમબાગ "



 પ્રસંગ -7


 હાલ મહામારી કોરોના વાયરસનો  કપરો સમય હોય ત્યારે મહારાજા ને પ્રજાના આરોગ્ય માટે ચિંતાની એક નાનકડી ઘટના


 ઈ.સ.1945 ની સાલમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી એ વાતવાતમાં ઈચ્છા દર્શાવેલી કે પણા લોકોને મારી નાખનાર ક્ષયરોંગનો ( T.B ) કોઇક ઉપાય થવો જોઈએ અને આ કામ જો ભાગનગર રાજ્ય દ્વારા કરવામાં આવે તો અતિઉત્તમ 


આ વાત અમરેલીના શેઠ ખુશાલદાસ જે મહેતા  ને જાણવામાં આવી.તેમણે મહારાજા સાથે ચર્ચા કરીને 1 લાખ 67 હજાર રૂપિયાનો ફાળ એકત્ર કર્યો . આ સાથે જ મહારાજા એ સંકલ્પ કર્યો કે રાજ્ય તરફથી તેઓ પણ 1 લાખ રૂપિયા ની સાથે સૂકા હવામાન ખુલી જમીન માટે વખણાતા સોનગઢ થી  2 કી . મી દૂર જીથરી ( અમરગઢ ) ગામે 450 વિઘા જમીન દાન આપી , 


વાત હજુ અહીં અટકતી નથી , આયોજન આગળ વધ્યું એટલે મહારાજાને પૂછવામાં આવ્યું કે હોસ્પિટલ નું નિર્માણ પૂર્ણ થયેથી તખ્તી પર રાજકુટુંબ કે પુર્વજોમાંથી કોનું નામ આપ જોડવા ઈચ્છો છો ? મહારાજા એ સરળતાથી જણાવ્યું કે હોસ્પિટલ બનાવવી એ રાજ્યની ફરજ છે એમાં અમારે જસ ન લેવાનાં હોય આથી મારે કોઈ નામ સુચવવું નથી . નામ તો જેમણે આ સમગ્ર કામગીરીમાં વિશેષ પોગદાન આપ્યું છે અને તમામ પ્રયત્નો કર્યા છે તે ખુશાલદાસ મહેતા નું આપવું જોઈએ , 


આ રિતે પ્રજા હિત માટે ઉદારતા અને અન્યને મોટા કરવાની ભાવના મહારાજા ની લાક્ષણિકતા હતી . જોકે આજે આ ડેન્ટલ હોમ્પિટલમાં અને કોલેજ તરીકે ફેરફાર કર્યેા છે પરંતુ એક સમયે સમગ્ર ગુજરાતમાં એક માત્ર સૌથી મોટી ટ્રસ્ટની TB હોસ્પિટલ તરીકે વિખ્યાત હતી.


 મહારાજા કૃષ્ણકુમારસિંહજીને મળેલ ખિતાબ અને સન્માન ખિતાબ 




 જીવનપર્યત "મારી પ્રજાનું કલ્યાણ થાઓ " સૂત્રને વળગી રહેલા પ્રજાવત્સલ રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને  વંદન 


તેમણે કરેલા પ્રજાકલ્યાણના કાર્યો અવિસ્મરણીય અને આદરણીય છે . જેના પર ગોહિલવાડવાસીઓ આજે પણ ગર્વ અનુભવે છે ,




Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

1 Comments:

Viewer said...

How many viewers do you have right now?

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group