Education for Every

SMART ATTENDANCE
Join Us On
Whatsapp

SWAMI VIVEKANAND

Join Us On
Telegram

 

 SWAMI VIVEKANAND







સ્વામી વિવેકાનંદ 

(બંગાળી: શામી : બિબેકાનંદો). 

જન્મ : ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩-૪ જુલાઇ, ૧૯૦૨ 

સ્વામી વિવેકાનંદ જીવન પરિચય

 Whatsapp"ગ્રુપ મા જોડાવવા



જીવન:-

સ્વામી વિવેકાનંદ  નો જન્મ મકરસંક્રાંતિનાં તહેવારની પૂર્વસંધ્યાએ સોમવારે તારીખ 12 જાન્યુઆરી 1863  ના રોજ કલકત્તા ખાતે ભદ્ર કાયસ્થ પરીવારમાં શિમલા પાલ્લીમાં થયો હતો. તેમના માતાપિતાએ સ્વામીની વિચારસરણી પર અસર પાડી - પિતાએ તેમના બૌધ્ધિક દિમાગથી તથા માતાએ તેમના ધાર્મિક સ્વભાવથીબાળપણથી  તેમનામાં આધ્યામિકતા તથા ઇશ્વર સાક્ષાત્કાર માટે લગાવ દેખાતો હતો. સ્વામી વિવેકાનંદનો જન્મદિવસ (12  જાન્યુઆરી ) ભારતમાં રાષ્ટ્રીય યુથ ડે ( રાષ્ટ્રીય યુવા દિવ ) તરીકે ઉજવવામાં આવે છે . તેમના પિતાનું નામ વિશ્વના દત્ત  અને માતાનું નામ : ભુવનેશ્વરી દેવી  હતુ. તેમનુ બાળપણનું નામ નરેન્દ્રનાથ ત્ત પાડવામાં આવ્યું હતું .

તેમના પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઈકોર્ટમાં એટર્ની હતાતેમની ગણના એક દાર વ્યક્તિ તરીકે થતી હતી અને સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમની છાપ એક પ્રગતિશીલ વ્યક્તિની હતી. તેમની માતા ભુવનેશ્વરી દેવી પવિત્ર સ્ત્રી હતા તથા સંયમ પાળતા હતા અને પોતાને એક પુત્ર આપવા માટે તે વારાણસીના વિરેશ્વર શિવની આરાધના કરતા હતા .

નરેન્દ્રનાથે પોતાનો અભ્યાસ ઘરેથી રૂ કર્યો હતો પરંતુ પછીથી તેઓ સને 1871 માં ઇશ્વરચન્દ્ર વિદ્યાસાગર સંસ્થામાં દાખલ થયા હતા અને  1879 માં તેમણે પ્રવેશ પરિક્ષા પાસ કરી હતી .

તેમને વિવિધ વિષયોમાં રસ હતો અને તેઓ તત્વજ્ઞાનઇતિહાસસમાજશાસ્ત્રવિનયનસહિત્ય અને અન્ય વિષયોમાં વિદ્વતા ધરાવતા તાતેમણે વૈદ , ઉપનિષદો , ભગવદગીતા , રામામણ , મહાભારત અને પુરાણો માં ઉંડો રસ દાખવ્યો હતો . તેઓ શાસ્ત્રિય સંગીતમાં  ગાયકી અને  વાદ્ય એમ બન્નેનાં જાણકાર હતા . બાળપણથી  તેમને શારીરિક કસરત , રમતગમત અને અન્ય સંગઠનલક્ષી પ્રવૃત્તિઓમાં સક્રિય રસ લીધો હતો. તેઓએ યુવાનીમાં  પાખંડી રીત રિવાજો અને જ્ઞાતિ અને ધર્મ આધારીત ભેદભાવો સામે અવાજ ઉઠાવ્યો હતો

નરેન્દ્રનાથે સન 1880 માં કલકત્તા ખાતે પ્રેસીડેંસી કોલેજમાં પ્રવેશ લીધો હતો અને બીજા વર્ષે તેઓએ કોલે બદલીને કલકત્તામાં સ્કોટ્ટીશચર્ચ કોલેજમાં એડમિશન લીધુ હતું. દરમિયાન તેમણે પાશ્ચાત્ય તર્કશાસ્ત્ર , પાશ્ચાત્ય તત્વજ્ઞાન અને યુરોપના રાષ્ટ્રોના ઇતિહાસનો અભ્યાસ કર્યો હતો . સને 1881 માં તેમણે લલિત કલાની પરિક્ષા પાસ કરી હતી અને સને 1884 માં તેમણે વિનયન સ્નાતકની પરિક્ષા પાસ કરી હતી .

 







રામકૃષ્ણ પરમહંસ સાથે:

બાળપણથી  તેઓએ આઘ્યાત્મિકતા , ઇશ્વરનુભુતિ અને સર્વોચ્ચ આધ્યાત્મિક સત્યો જાણવામાં રુચિ દર્શાવી હતી. તેમણે પૂર્વ તથા પશ્ચિમની ધાર્મિક તથા તત્વજ્ઞાન સંબંધી વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો તથા તેઓ જુદા જુદા ધાર્મિક અગ્રણીઓને મળ્યા. તેમના પર તે સમયની મહત્વની સામાજિક - ધાર્મિક સંસ્થા બ્રહ્મા સમાજની ઘણી અસર પડી હતી . તેમની શરૂઆતની માન્યતાઓનું ઘડતર બ્રહ્મો સમાજે કર્યુંબ્રહ્મો સમાજ નિરાકાર ભગવાનમાં માનતોમૂર્તિપુજાને નકારતો અને સામાજિક-આર્થિ સુધારાને સમર્પિત હતોતેઓ બ્રહ્મોસમાજના દેવેન્દ્રનાથ ટાગોર અને કેશવચંદ્ર સેન જેવા આગેવાનોને મળ્યા તથા ભગવાનના અસ્તિત્વ વિષે તેમની સાથે પ્રશ્નોત્તરી કરીપરંતુ તેમને સંતોષકારક જવાબો નહોતા મળ્યા.



રામકૃષ્ણ પરમહંસની પ્રશંસા સાંભળીને નરેન્દ્ર સૌ પ્રથમ તેમની પાસે તર્કના વિચાર સાથે ગયા પરંતુ પરમહંસજીને  ખબર પડી કે તેઓ તે  શિષ્ય છે , જેની તેઓ ઘણા દિવસૌથી રાહ જોઈ રહ્યા હતા .

નવેમ્બર 1881 માં રામકૃષ્ણ પરમહંસજી સાથેની તેમની મુલાકાત તેમની જિન્દગીનો સંક્રાન્તિકાળ પુરવાર થઇ હતી . સ્વામી વિવેકાનંદના ( Siwami Vivekanand ) ગુરુનું નામ રામકૃષ્ણ પરમહંસ હતું . સ્વામીજીએ તેમના શરૂઆતમાં સંપૂર્ણપણે વિશ્વાસ કર્યો નહીં . તેઓ રામકૃષ્ણની દરેક વસ્તુનું પરીક્ષણ કરે છે અને અંતે તેમનો જવાબ મેળવે છે .

નરેન્દ્ર રામકૃષ્ણ અને તેમના વિચારોને સ્વીકારી શકતા નહોતા , તેમ છતાં તેઓ તેમની ઉપેક્ષા પણ કરી શકતા નહોતા . રામકૃષ્ણના માર્ગદર્શન નીચેની તાલીમના પાંચ વર્ષ દરમિયાન નરેન્દ્રનું એક બેચેન મુંઝાયેલા અધીર યુવાનમાંથી એક એવા પરિવક્વ યુવાનમાં પરીવર્તન થયું , જે  ઈશ્વરને પામવા માટે તમામ ચીજો છોડી દેવા તૈયા તા .  સમય દરમિયાન નરેન્દ્રએ રામકૃષ્ણને ગુરુ તરીકે સ્વીકાર્યા.

માત્ર 25 વર્ષની ઉંમરમાં પોતાના ગુરુથી પ્રેરિત થઇને એમણે સાંસારિક મોહ - માયાનો ત્યાગ કર્યો અને સંસ્યાસી બની ગયા . સ્વામી વિવેકાનંદ જીવનભર સન્યાસી રહ્યા અને પોતાના અંતિમ શ્વાસ સુધી સમાજની ભલાઇ માટે કામ કરતા રહ્યા . સ્વામી વિવેકાનંદનો સંદેશ દુનિયાભરમાં લોકોને પ્રેરણા આપે છે. સન ૮૯૭માં તેમણે રામકૃષ્ણ મઠ તથા મિશન એક સમાજસેવી તથા આધ્યાત્મિક સંસ્થાની સ્થાપના કરીસ્વામી વિવેકાનંદને ભારતના પ્રથમ રાષ્ટ્ર-નિર્માતાઓ પૈકીના એક ગણવામાં આવે છેમહાત્મા ગાંધીવાહરલાલ નેહરુસુભાષચન્દ્ર બોઝઅરવિંદ ઘૉષરાધાકૃષ્ણન જેવાઅન્ય રાષ્ટ્રિય નેતાઓ તથા વિચારકો પર તેમના તત્વજ્ઞાનનો પ્રભાવ પડ્યો હતો.

1885માં રામકૃષ્ણને ગળાનું કેન્સર થતા તેઓ કોલકોતા રહેવા ચાલ્યા ગયા અને પાછળથી કોસીપોર ગયા. રામકૃષ્ણના છેલ્લા દિવસોમાં વિવેકાનંદ અને તેમના કેટલાક અનુયાયીઓને રામકૃષ્ણએ સન્યાસીના વસ્ત્રો આપ્યાજે રામકૃષ્ણ મઠના સન્યાસી બન્યાવિવેકાનંદને શીખવાડવામાં આવ્યું હતું કે માનવજાતની સેવા ઇશ્વરની સૌથી અસરકારક સેવા છે. રામકૃષ્ણની સ્થિતિક્રમશઃ બગડતી ગઈ હતી અને તેઓ કોસીપોરના ગાર્ડન હાઉસમાં ૧૬ ઓગસ્ટ૧૮૮૬એ વહેલી સવારે મૃત્યુ પામ્યા હતાતેમના અનુયાયીના જણાવ્યા પ્રમાણેતેમણે મહાસમાધિ લીધી હતી

બારાનાગોર મઠ:

ગુરુના મૃત્યુ પછી મઠવાસીઓએ વિવેકાનંદના નેતૃત્વમાં ગૃહસ્થ અનુયાયીઓની નાણાકીય મદદથી ગંગા નદીના કાંઠે બારાનાગોર ખાતે એક અર્ધ ખંડેર મકાનમાં એક સમાજની રચના કરી. તે અનુયાયીઓનો પ્રથમ મઠ બન્યો. આ અનુયાયીઓ રામકૃષ્ણના પંથના પ્રથમ અનુયાયીઓ બન્યા. બારાનાગોરના જીર્ણ મકાનની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કે રામકૃષ્ણનો જ્યાં અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો તે કોસીપોર ઘાટની નજીક આ મકાન હતું અને તેનું ભાડું પણ ઓછું હતું. નરેન્દ્ર અને મઠના અન્ય સભ્યો તેમનો સમય ધ્યાન ધરવામાંવિવિધ તત્વચિંતનો અંગે તેમજ રામકૃષ્ણશંકરાચાર્યરામાનુજ અને જીસસ ક્રાઇસ્ટ સહિતના આધ્યાત્મિક ગુરુઓના ઉપદેશો અંગે ચર્ચા કરવામાં વીતાવતા હતા. મઠના પ્રારંભિકદિવસોને નરેન્દ્ર યાદ કરતા કહેતા, “બારાનાગોર મઠખાતે અમે ઘણી બધી ધાર્મિક ક્રિયાઓ કરતા. વહેલી સવારે 3.00 કલાકે અમે ઉઠી જતા હતા અને જપ અને ધ્યાનમાં ડુબી જતા હતા. એ દિવસોમાં વિતરાગની કેવી તીવ્ર વૃત્તિ અમારામાં હતી! દુનિયા અસ્તિત્વ ધરાવે છે કે નહીં એનો પણ વિચાર અમને આવતો નહોતો". ૧૮૮૭ના પ્રારંભિક સમયમાં નરેન્દ્ર અને અન્ય આઠ અનુયાયીઓએ મઠની ઔપચારિક પ્રતિજ્ઞાઓ લીધી. નરેન્દ્રએ સ્વામી વિવેકાનંદ નામ અપનાવ્યું.



દક્ષિણ ભારત :

એર્નાકુલમ ખાતે 1892 ના ડીસેમ્બરના પ્રારંભમાં તેઓ નારા ગુરુના ગુરુ ચટ્ટમ્પી સ્વામિકને મળ્યા . એર્નાકુલમથી તેમણે ત્રિવેન્દ્રમ, નાગરકોઇલનો પ્રવાસ કર્યો અને 1892 મા ક્રિસમસની પૂર્વસંધ્યાએ પગે ચાલીને કન્યાકુમારી ખાતે સ્વામીએ " છેલા ભારતીય ખડક " પર બેસીને ત્રણ દિવસ ધ્યાન કર્યુ હોવાનું કહેવાય છે .  ખડક પાછળથી વિવેકાનંદ ખડક સ્મારક તરીકે જાણીતો થયો. કન્યાકુમારી ખાતે વિવેકાનંદને “એક ભારતનો વિચાર” આવ્યો હોવાનું કહેવાય છે.

 

વિશ્વના ધર્મોની સંસદ :

સ્વામી વિવેકાનંદની વાત થાય ત્યારે તેમણે અમેરિકાના શિકાગોની ધર્મ સંસદમાં 1893 માં 11 મી સપ્ટેમ્બરે આપેલાં પ્રવચનની ચર્ચા જરૂર થાય છે .

 

11 મી સપ્ટેમ્બરે1893 ના રોજ શિકાગો ( અમેરિકા )ના આર્ટ ઈંસ્ટિટ્યુટ ખાતે ધર્મ સંસદની શરૂઆત થઈ દિવસે , સ્વામી વિવેકાનંદે ( Swami Vivekanand ) શિકાગોની  સંસદમાં તેમનું પ્રથમ ટૂંકુ  ભાષણ આપ્યું હતું . તેમાં ભારતના પ્રતિનિધિ તરીકે સ્વામી વિવેકાનંદજી ગયા હતા . યુરોપ અને અમેરિકાના લોકો તે સમયે ગુલામ ભારતીયને ખૂબ હલકી ગણતા હતા . ત્યાંના લોકોએ પરિષદમાં સ્વામી વિવેકાનંદને બોલવાનો સમય  મળે તે માટે સખત પ્રયાસ કર્યા હતા પણ એક અમેરિકન પ્રોફેસરના પ્રયત્ને તેમને થોડો સમય આપ્યો . તેમણે ભારત અને હિન્દુ ધર્મ વિશે વાત કરી.શરૂઆતમાં થોડો ગભરાટ અનુભવતા હોવા છતાં તેમણે વિદ્યાના દેવી સરસ્વતી ને પ્રણામ કરીને પોતાનું વક્તવ્ય " અમેરિકાના ભાઈઓ અને બહેનો !  સાથે શરૂ કર્યુ . પ્રથમ વારમાં બધાનું હૃદય જીતી લીધું . તેમનું પ્રવચન સાંભળીને બધા વિદ્વાનો આશ્ચર્યચકિત થઈ ગયા.  શબ્દો માટે સાત હજારની મેદનીએ ઉભા થઈને તાળીઓ પાડીને તેમનું સન્માન કર્યું અને બે મિનિટ સુધી  સન્મા ચાલ્યુ. ફરી જ્યારે શાંતિ સ્થપાઈ ત્યારે તેમણે પોતાનું વક્તવ્ય શરૂ કર્યું . સૌથી યુવાન રાષ્ટ્રોમાંના એકનું અભિવાદન કરતાં તેમણે  રાષ્ટ્ર વિશે જણાવ્યું . " વિશ્વમાં સાધુઓની સૌથી પ્રાચીન પરંપરા , વેંદની સન્યાસી પરંપરા , ધર્મ કે જેણે વિશ્વને સહનશીલતા અને વૈશ્વિક સદભાવ શિખવ્યા છે .

તે પછી અમેરિકામાં તેમનું ખૂબ સ્વાગત થયું . ત્યાં તેમના ભક્તોનો મોટો સમુદાય બની ગયો . તેઓ ત્રણ વર્ષ અમેરિકા રહ્યા અને ત્યાંના લોકોને ભારતીય ફિલસૂફીનો અદભૂત પ્રકાશ આપ્યો


ઉપદેશ અને જીવનદ્રષ્ટિ:

સ્વામી વિવેકાનંદ વેદાંતની એવી વિચારધારામાં માનતા હતા કે જ્યાં સુધી આપણામાંથી તમામ મુક્ત ના થાય ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ સાચા અર્થમાં મુક્ત થઈ શકે નહિ. એટલે સુધી કે વ્યક્તિગત મુક્તિની ઈચ્છા પણ છોડવી જોઈએ અને અન્ય લોકોની મુક્તિ માટે થાક્યા વગર કામ કરવું તે સાચા જ્ઞાનીની નિશાની છે. તેમણે આત્મનો મોક્ષાર્થમ્ જગદ્વિતાયચ (માત્મનો મોક્ષાર્થ નાદ્ધિતાય ૨) (પોતાની મુક્તિ માટે અને વિશ્વના કલ્યાણ માટે)ના સિદ્ધાંતપર શ્રી રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી હતી.આમ છતાં વિવેકાનંદે ધર્મ અને સરકારને ચુસ્તપણે અલગ રાખવાની તરફેણ કરી છેજે ફ્રીમેસન હોવાના કારણે ફ્રીમેસનરીમાં જોવા મળેલો સિદ્ધાંત છે. ધાર્મિક માન્યતાનાકારણે સામાજિક રીત-રિવાજો ભૂતકાળમાં બનેલા હોવા છતાંધર્મવારસા જેવી બાબતોમાં ધર્મએ હસ્તક્ષેપ કરવો જોઈએ નહિ. આદર્શ સમાજમાં બ્રાહ્મણ જ્ઞાનક્ષત્રિય સંસ્કૃતિવૈશ્ય કાર્યક્ષમતાઅને શૂદ્ર સમતાના લક્ષણોનું મિશ્રણ હોવું જોઈએ. કોઈ પણ એકનું પ્રભુત્વ સમાજને વિવિધ પ્રકારની અસમતુલા તરફ લઈ જાય છે. આદર્શ સમાજની રચના માટે ધર્મ કે અન્ય કોઈ પણ દબાણનો ઉપયોગ થવો જોઈએ તેવું વિવેકાનંદને લાગતુ નહોતુકારણ કે યોગ્ય સંજોગોમાં વ્યક્તિગત પરિવર્તનથી આ ઘટના કુદરતી બનશે તેવું તે માનતા હતા.

અસર અને કાર્ય:-

રામકૃષ્ણ મિશનના આદર્શો કર્મ યોગ આધારિત છે.તેમના દ્વારા બે મઠની સ્થાપના થઈએક કલકત્તા પાસે બેલુર ખાતે કે જે રામકૃષ્ણ મઠનું વડુમથક બન્યો અને અદ્વૈત આશ્રમ તરીકે ઓળખાતો બીજો મઠ હિમાલય પર માયાવતી ખાતે અલમોરા પાસે અને બાદમાં ત્રીજો મઠ મદ્રાસ ખાતે સ્થપાયો. બે સામયિકો શરૂ કરવામાં આવ્યાપ્રબુદ્ધ ભારત અંગ્રેજીમાં અને ઉદબોધન બંગાળીમાં. આ જ વર્ષે દુકાળ રાહત કાર્ય સ્વામી અખંડઆનંદ દ્વારા મુર્શિદાબાદ જિલ્લામાં શરૂ કરાયુ. વિવેકાનંદે સરજમશેદજી તાતાને ભારતની શ્રેષ્ઠતમ સંસ્થાઓ પૈકીની એક ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ  સંશોધન અને શૈક્ષણિક સંસ્થા સ્થાપવાની પ્રેરણા આપી

૨૦મી સદીના ભારતના ઘણા નેતાઓ અને તત્વચિંતકોએ વિવેકાનંદની અસરનો સ્વીકાર કર્યો છે. સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ ચક્રવર્તી રાજગોપાલાચારીએ એક વખત નોંધ્યું હતું કે "વિવેકાનંદે હિન્દુ ધર્મને બચાવ્યો અને ભારતને બચાવ્યું."[૧૧૫] સુભાષચંદ્ર બોઝના જણાવ્યા અનુસાર વિવેકાનંદ "આધુનિક ભારતનાઘડવૈયા છે" અને મોહનદાસ ગાંધી માટે વિવેકાનંદના પ્રભાવથી "તેમના દેશપ્રેમમાં હજારગણી વૃદ્ધિ" થઈ હતી. ૧૨મી જાન્યુઆરીએ તેમની યાદમાં તેમના જન્મદિવસને ભારતમાં રાષ્ટ્રીય યુવક દિનની ઉજવણી કરવામાં આવે છે. આ સૌથી ઉત્તમ શ્રદ્ધાંજલિ હતી કારણ કે સ્વામી વિવેકાનંદના મોટાભાગના લખાણો ભારતીય યુવાઓ વિશે હતા અને તેમાં આધુનિક વિશ્વમાં સંપૂર્ણપણે જોડાઈને ભારતના પ્રાચીન મૂલ્યોને કઈ રીતે જાળવી રાખવા તે અંગે સૂચન હતા.

ભારતીય યુવાઓ પર સ્વામી વિવેકાનંદના વિચારોનો ઉંડો પ્રભાવ રહ્યો છે. ઘણી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓએ આગળ આવીને આધ્યાત્મિક વિચારોની ચર્ચા માટે અને આવા ઉચ્ચ આદર્શોના આચરણ માટે સંગઠનો સ્થાપ્યા હતા. આમાંની ઘણી સંસ્થાઓએ વિવેકાનંદ સ્ટડી સર્કલ(Vivekananda study circle) નામ રાખ્યું હતું. આવુ એક ગ્રુપ IIT મદ્રાસ ખાતે અસ્તિત્વમાં છે અને તે (VsC) તરીકે જાણીતું છે. આ ઉપરાંત સ્વામી વિવેકાનંદના વિચારો અને ઉપદેશો સમગ્ર વિશ્વમાં પ્રસર્યા છે અને વિશ્વની સંસ્થાઓમાં તેનું આચરણ પણ થાય છે.


તેઓ અસ્થમા , ડાયાબિટિસ અને અન્ય શારીરિક બિમારીઓથી પિડાતા હતા. જુલાઈ 4 , 1902 ના રોજ ધ્યાનાવસ્થામાં બેલુર મઠમાં વિવેકાનંદનું અવસાન થયું હતું .


 Whatsapp"ગ્રુપ મા જોડાવવા
Telegram" ચેનલ મા જોડાવવા

વિદ્યાર્થીઓ  માટેનું "Whatsapp"ગ્રુપ મા જોડાવવા
મહત્વની તારીખો:

  • 12 જાન્યુઆરી 1863 કલકત્તામાં જન્મ
  • 1879 પ્રેસિડેન્સી કોલેજ કલકત્તામાં પ્રવેશ  
  • 1880 જનરલ એસેમ્બલી સંસ્થામાં પ્રવેશ
  • નવેમ્બર 1881 રામકૃષ્ણ પરમહંસ સાથેની પ્રથમ મુલાકાત
  • 1881 રામકૃષ્ણ પરમહંસ સાથેની પ્રથમ મુલાકાત
  • 1884 સ્નાતક પરીક્ષા પાસ
  • 16 ઓગસ્ટ 1886 રામકૃષ્ણ પરમહંસનું મૃત્યુ
  • 1886 વરાહનગર મઠની સ્થાપના જાન્યુ.
  • 1890-93પરિવ્રાજક તરીકે ભારત ભ્રમણ
  • 25 ડિસેમ્બર 1892 કન્યાકુમારી
  • 13 ફેબ્રુઆરી 1893 સિકંદરાબાદ માં પ્રથમ જાહેર પ્રવચન
  • 30 જુલાઈ 1893 શિકાગો પહોંચ્યા
  • ઓગસ્ટ 1893માં પ્રોફેસર હાર્વર્ડ યુનિવર્સિટીના હોન રાઈટ સાથે મુલાકાત
  • 11 સપ્ટેમ્બર 1893 વિશ્વ ધર્મ પરિષદશિકાગો ખાતે પ્રથમ વ્યાખ્યાન
  • 27 સપ્ટેમ્બર 1893 વિશ્વ ધર્મ પરિષદશિકાગો ખાતે છેલ્લું વ્યાખ્યાન
  • 1895 ન્યૂયોર્કમાં ધાર્મિક વર્ગો શરૂ થયાં
  • ઓક્ટોબર 1895 લંડનમાં વ્યાખ્યાન
  • જુલાઈ 1896 હાર્વર્ડ યુનિવર્સિટી ખાતે વ્યાખ્યાન
  • જુલાઈ 1896 લંડનમાં ધાર્મિક વર્ગો
  • 28 મે 1896 ઓક્સફોર્ડ ખાતે મેક્સ મુલરની મુલાકાત
  • જાન્યુઆરી1897 રામનાથપુરમ (રામેશ્વરમ) ખાતે ઉષ્માભર્યું સ્વાગત અને મદ્રાસમાં ભાષણ
  • 1 મે 1897 રામકૃષ્ણ મિશનની સ્થાપના
  • 19 માર્ચ 1899 માયાવતીમાં અદ્વૈત આશ્રમની સ્થાપના
  • 22 ફેબ્રુઆરી 1900 સાન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સમિતિની સ્થાપના
  • 9 ડિસેમ્બર 1900 બેલુર મઠ આગમન
  • જાન્યુઆરી ફેબ્રુઆરી 1902 બોધ ગયા અને વારાણસીની મુલાકાત
  • માર્ચ 1902 બેલુર મઠ પરત  
  • 4 જુલાઈ 1902 મહાસમાધિ






Important:-For better result always use google cromeNote:-Please Always Check and Conform Above Details with The Official Website and Advertisement / Notification.

Subscribe Our
YouTube

1 Comments:

Labels

Followers

You Tube Subscribe

Join us on Facebook Group